You are welcome

You are welcome

Monday, June 25, 2012

Gaumata....part 2 ......Why she is important


મહત્તા અને ઉપયોગીતા:
પૂરાણોમાં ગાયનો ઉલ્લેખ ગૌમાતા,કામધેનું તરીકે છે અને તેમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ હોવાનું કહેલ છે. આ ઉપરાંત કૃષ્ણ ભગવાનને પણ ગાય સૌથી પ્રિય હતી. ઘણાબધા ઋષિઓએ ફક્ત ગાયના દૂધ ઉપર આખી જીન્દગી પૂરી કરી હતી. વિચારોની સાત્વિકતા, કાર્યમાં ચંચળતા અને શરીરને પણ દરેક રીતના ઉપયોગી થવું એ ગાય તેમ જ તેના દૂધ નો સ્વભાવ છે. વૈજ્ઞાનિક રીતના પણ તે સિદ્ધ થયેલી બાબત છે. કેટલાક રોગોમાં તો (ખાસ કરીને શ્વાસના) ફક્ત ગાય ની જોડે અડધો કલાક બેસવાથી પણ ઘણા ફાયદા છે, ગાયનું છાણ તો ખેતરોમાં સદીઓથી ઉપયોગમાં છે જ જેનું સ્થાન આજે મોંઘા અને આડઅસરવાળા રસાયણિક ખાતરોએ લઇ લીધુ છે. આ બધું હોવા છત્તા ફક્ત અને ફક્ત ઉપયોગીતા અને પોતાની સગવડતા જોવા માટે ટેવાયેલાઓ માટે જણાવવાનું કે ગાય ને પુરાણોમાં એમને એમ કામધેનું નથી કહેવામાં આવી, તેનું ફક્ત દૂધ અને છાણ જ ઉપયોગી નથી પરંતુ ગૌમુત્ર, ઘી, દહીં પણ એટલુ જ ઉપયોગી છે કે તેમાંથી બનતી પ્રોડકટ્સ વિષે લખીએ તેટલું ઓછુ પડે. આજકાલ ઇન્ટરનેટ ઉપર ઘણી બધી વેબસાઈટ ઉપર મોંઘા ભાવે વેચાણથી ગૌમુત્ર, ટેબલેટસ, ગૌછાણ માંથી અગરબતી, પંચગવ્ય સાબુ, ખરજવા માટેના સ્પેશિયલ સાબુ, પંચગવ્ય ખાતર અને આ સિવાય પણ બીજી ઘણી વસ્તુઓ વેચાતી જોવા મળે છે. આપણા જાણ અર્થે કેટલીક વેબસાઈટ:
http://www.foodmandi.com/organic-desi-ghee.html

લખાણના અંતભાગમાં ઉપરોક્ત દરેક આઈટમ કઈ રીતના બનાવવી, તેનું રો મટીરીયલ વગેરે વગેરે વિસ્તારથી જણાવેલ છે. પરંતુ તે પહેલા ગાયને મશીનની રીતના ના જોતા ગૌમાતા તરીકે જોવાનું ચાલુ કરવું પડે. આ સંદર્ભમાં કેટલાક આજના અને પહેલાના સમાજને અનુલક્ષીને તથ્યો, કેટલાક અવલોકનો અને ત્યારબાદ કેટલાક વૈજ્ઞાનિક સંશોધનો પણ જોઈશું. કારણકે હવે આપણે તેને અવગણી  શકીએ તેમ નથી. મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે “”આપણે ગાયને પાલવતા નથી કે તેની સેવા નથી કરતા, ગાય આપણને પાલવે છે અને સમસ્ત માનવજાતની સેવા કરે છે””.

0 comments:

Post a Comment